Transcendence

નૂતન વર્ષના મંગલ પર્વે ગુરુહરી મહંતસ્વામીના આશીર્વાદ...

નૂતન વર્ષના મંગલ પર્વે ગુરુહરી મહંતસ્વામીના આશીર્વાદ


|| સ્વામી શ્રીજી ||
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી

વોશિંગ્ટન ડી. સી.
5-09-2017



       નૂતન વર્ષે સર્વે હરિભક્તો સેવા-ભક્તિ-સત્સંગ વિશેષ કારીને દાસત્વભાવ, દિવ્યભાવ, નિયમ અને નિષ્ઠા દ્રઢ કરીને મહારાજ-સ્વામીને વધુ રાજી કરી શકે, તેમજ સર્વે તને-મને-ધને સુખી થાય એ જ પ્રાર્થના.

       શ્રીજીમહારાજ, ગુણાતીતાનંદ સ્વામી અને સત્પુરુષ મળ્યા એટલે આપણે ધન્ય થઇ ગયા છીએ. આ પ્રાપ્તિ સમજવી બહુ અઘરી છે. મહારાજ કહે છે : આ વાત સમજાય તો કામ-ક્રોધ-મોહ મહુડા જેમ ટપ ટપ પડે તેન ખરી પડે. સ્વાભાવ ખરી પડે, અને અખંડ પરમ શાંતિ થઈ જાય, બ્રહ્મરૂપ થઈ જવાય અને કાંઈ બાકી રહે નહીં.

       હવે, મહારાજ-સ્વામીની આજ્ઞામાં ખબરદાર રહીને, સંપ-સુહૃદભાવ-એકતા રાખીને કાર્ય કરવું. ધર-પરિવારમાં, નોકરી-ધંધોમાં, સત્સંગમાં એ જ સુખી થવાની રીત છે.

        મહારાજ અને સ્વામીમાં સંપૂર્ણ વિશ્વાસ રાખી આપણને જે જે સોંપવામાં આવ્યું છે તે વફાદારી, વિશ્વાસ અને શ્રધ્ધા-ખંતથી મંડી પડવું. આગે ફતેહ છે. વળી સંપ, સુહૃદભાવ અને એકતામાં તો ઘણાં દોષો નીકળી જશે. સંપપ્રધાન (જીવન) રાખવું. આપણો સંપિલો પરિવાર.


DIWALI HD WALLPAPER 

Download Image(HD) Click here

Download Image(HD) Click here

Download Image(HD) Click here


Download Image(HD) Click here 






Comments

amazon

Popular Posts